Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના - તું વગર કારણે વરસાવે છે વ્હાલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-17 16:21:43

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલી પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે. દોસ્ત હોય તો જીવન રંગીન બની રહે છે અને જો દોસ્ત ના હોય તો જીવન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની જેમ બેરંગ બનીને રહે છે.. અનેક વર્ષો સુધી દોસ્તોને નથી મળાતું ત્યારે આંખોમાંથી પાણી આવી જાય છે અમસ્તા.. માસુમિયત હોય છે તે સંબંધમાં.. દોસ્તો પોત પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે અને વર્ષો સુધી નથી મળાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું વગર કારણે વરસાવે છે વ્હાલ

દોસ્ત, હું કેમ કરીને પૂછું તારો હાલ


જીવું છું આજને બસ તારી યાદમાં

કેટલી ખૂબસુરત તારી વાતો અને કાલ


કેવી માસૂમિયતને સ્વાર્થ વગરનો સ્નેહ

ફરીથી જીવી લઈએ એ ક્ષણને ચાલ


જીવનના મેઘધનુષમાં તું ખૂટે છે દોસ્ત

ક્યાંથી લાવું હું તારા પ્રેમનો રંગ લાલ


અન્ય જવાબદારીમાં અટવાઈ તું શ્વેત

ખોવાયું દોસ્તીનું સંગીત, સૂર અને તાલ.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.