દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે થયેલી ગોળીબારમાં ગુજરાતીનું થયુું મોત, જંબુસરના યુવાનની થઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-02-21 12:02:09

રોજગારી અર્થે અનેક ભારતીયો વિદેશ જતાં હોય છે. પંરતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવી એક હત્યા ફરી એક વખત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવામાં આવી હતી. તે દરમિયાન નિગ્રો દ્વારા ભારતીય પર ગોળીબારી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


ગુજરાતીનું ફાયરિંગમાં થયું મોત 

અનેક ભારતીયો રોજગાર અર્થે વિદેશ જતા હોય છે. પૈસા કમાવા માટે ગયેલા ભારતીયો અનેક વખત મોતને ભેટતા હોય છે. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. હુમલો થવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે ફરી એક વખત ભારતીય પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને ગુજરાતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો ભરૂચના યુવક પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


પરિવારમાં છવાયો માતમ 

ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ગયો હતો. ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં તેઓ જોબ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. હથિયારો સાથે આવી પહોંચતા ત્યાં નાસભાગ થઈ હતી. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને જેમાં ગુજરાતીનું મોત થયું છે. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. તેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે