દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે થયેલી ગોળીબારમાં ગુજરાતીનું થયુું મોત, જંબુસરના યુવાનની થઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-02-21 12:02:09

રોજગારી અર્થે અનેક ભારતીયો વિદેશ જતાં હોય છે. પંરતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવી એક હત્યા ફરી એક વખત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવામાં આવી હતી. તે દરમિયાન નિગ્રો દ્વારા ભારતીય પર ગોળીબારી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


ગુજરાતીનું ફાયરિંગમાં થયું મોત 

અનેક ભારતીયો રોજગાર અર્થે વિદેશ જતા હોય છે. પૈસા કમાવા માટે ગયેલા ભારતીયો અનેક વખત મોતને ભેટતા હોય છે. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. હુમલો થવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે ફરી એક વખત ભારતીય પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને ગુજરાતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો ભરૂચના યુવક પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


પરિવારમાં છવાયો માતમ 

ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ગયો હતો. ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં તેઓ જોબ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. હથિયારો સાથે આવી પહોંચતા ત્યાં નાસભાગ થઈ હતી. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને જેમાં ગુજરાતીનું મોત થયું છે. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. તેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.           




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.