રાહુલ ગાંધીના પથ પર ચાલતું ગુજરાત યુથ કોંગ્રેસ,યુવા પરિવર્તન યાત્રાનું કર્યું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:45:19

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીચ પાર્ટીઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપ તેમજ આપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1200 કિલોમીટર ચાલનારી આ પદયાત્રાની શરૂઆત અંબાજીથી થવાની છે. ઉમરગામ સુધી આ યાત્રા ચાલવાની છે. આ યાત્રામાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.


અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસને ફરી બેઠુ કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરવાની છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે.


લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ

માં અંબેના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. અંબાજીથી નીકળેલી આ યાત્રા ઉમરગામ સુધી જશે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસો થવાના છે. બાઈક રેલી, જન સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો બીજા તબક્કો દશેરાના દિવસથી થવાનો છે. સોમનાથથી આ યાત્રાનો શુભારંભ થવાનો છે.

અંબાજી News in Gujarati, Latest અંબાજી news, photos, videos | Zee News  Gujarati


રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા

દેશના વિવિધ રાજ્યોમાં વધતી મોંઘવારી, બેરોજગારી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસ અનેક યાત્રાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ભારત જોડો યાત્રા કરી કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓએ ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.