રાહુલ ગાંધીના પથ પર ચાલતું ગુજરાત યુથ કોંગ્રેસ,યુવા પરિવર્તન યાત્રાનું કર્યું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:45:19

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીચ પાર્ટીઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપ તેમજ આપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1200 કિલોમીટર ચાલનારી આ પદયાત્રાની શરૂઆત અંબાજીથી થવાની છે. ઉમરગામ સુધી આ યાત્રા ચાલવાની છે. આ યાત્રામાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.


અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસને ફરી બેઠુ કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરવાની છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે.


લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ

માં અંબેના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. અંબાજીથી નીકળેલી આ યાત્રા ઉમરગામ સુધી જશે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસો થવાના છે. બાઈક રેલી, જન સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો બીજા તબક્કો દશેરાના દિવસથી થવાનો છે. સોમનાથથી આ યાત્રાનો શુભારંભ થવાનો છે.

અંબાજી News in Gujarati, Latest અંબાજી news, photos, videos | Zee News  Gujarati


રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા

દેશના વિવિધ રાજ્યોમાં વધતી મોંઘવારી, બેરોજગારી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસ અનેક યાત્રાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ભારત જોડો યાત્રા કરી કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓએ ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.