Gujaratમાં 33 જિલ્લાઓને બદલે હવે 36 જિલ્લા થશે? અસ્તિત્વમાં આવી શકે છે આ 3 જિલ્લાઓ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-09-25 14:00:37

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે, અખબારોમાં આપવામાં આવતી માહિતી અનુસાર કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં કરી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે..  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદને જિલ્લાનું બિરૂદ મળી શકે છે. ઉપરાંત નવા તાલુકા તેમજ નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે..


આ જિલ્લાઓનું થઈ શકે છે વિભાજન!

જ્યારે નવા જિલ્લા અથવા તો કોર્પોરેશનનું વિભાજન થાય છે ત્યારે તે વિસ્તારનો વિકાસ ઝડપી થાય છે.. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2024 પૂર્ણ થાય તેની પહેલા આ નવા જિલ્લાઓની રચના થઈ શકે છે. માહિતી પ્રમાણે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી વિરમગામ તરીકે નવો જિલ્લો બનાવામાં આવી શકે છે.. તે ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી વડનગર જિલ્લો બનાવાઈ શકાય છે.. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાધનપુર અથવા તો થરાદ જિલ્લાને અસ્તીત્વમાં લવાઈ શકાય છે..


2013માં આ જિલ્લાઓ આવ્યા હતા અસ્તિત્વમાં 

મહત્વનું છે કે વિસ્તાર જેટલો નાનો હશે તેમાં કામો ઝડપથી થશે... જેને કારણે આ નિર્ણય લેવાનું સરકાર વિચારી રહી હોઈ શકે છે... 2013માં રાજ્ય સરકાર દ્વારા 7 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લા તરીકે જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થઈ શકે છે તેવી શક્યતા છે. તે સિવાય ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે