હરિયાણા પાસેથી ગુજરાત શીખશે ઝીરો બજેટ ખેતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:00:13

આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાની મુલાકાતે જશે. આવતીકાલે કુરુક્ષેત્રમાં યોજાનાર ઝીરો બજેટ ખેતીની બેઠકમાં હરિયાણા સરકાર ગુજરાત સરકાર સાથે ચર્ચા કરશે. 


ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રી મળશે

બેઠકમાં હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કૃષિ વિભાગના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ઉપસ્થિત રહેશે. હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી મામલે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. હરિયાણામાં ઝીરો બજેટ ખેતી કરનાર અને એક ગાય રાખનાર ખેડૂતને 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 



શું હોય છે ઝીરો બજેટ ખેતી?

હરિયાણાના કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, ફળ અને શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો પણ કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેની તાલિમ લેવા માટે કુરુક્ષેત્ર વિસ્તારમાં આવી રહ્યા છે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .