Gujarat Weather - કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે? જાણો ક્યાં સૌથી ઓછું તાપમાન નોંધાયું? Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-18 13:49:23

ગુજરાતીઓ ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. ધીરે ધીરે ઠંડી લાગવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે...  બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે.. સામાન્ય રીતે આ સમયમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે.... રાજ્યના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવસોમાં આ તાપમાન વધુ ગગડી પણ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે... 


ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન!

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેવી વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે...  લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું નોંધાયું છે.. 15.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે... દાહોદનું તાપમાન 16 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18.5 ડિગ્રી નોંધાયું છે...  ડીસાનું તાપમાન 18.6 જ્યારે પોરબંદરનું તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે... તે ઉપરાંત રાજકોટનું તાપમાન 17.7 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે... 


અંબાલાલ કાકાની આગાહી શું કહે છે? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે... તેમણે જણાવ્યું કે 20 તારીખ બાદ વધારે ઠંડીનો અહેસાસ થશે.. મહેસાણા, પાલનપુર, ગાંધીનગર.હિંમતનગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં ઠંડીનો વધારે અનુભવ થશે... નવેમ્બરના અંત સુધીમાં એવી ઠંડી નહીં પડે જેટલી ઠંડી પડવી જોઈએ પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની અનુભુતિ થશે.. છઠ્ઠી તારીખથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે.. પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે