Gujarat Weather : હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી! જાણો શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-28 18:35:27

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. વહેલી સવારથી વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે.. આગામી દિવસોમાં વધારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. કાકાની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી? 

વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. અનેક રાજ્યોમાં વરસાદ હજી ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવામાન વિભાગની તો આગાહી સામે આવી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. અને સાથે જ પૂરની સ્થિતિ આવે તેવી શક્યતા લાગે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 

Image


Image

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પાંચમીથી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.



હવામાન વિભાગની આગાહી અનુસાર 

મહત્વનું છે કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય 30 તારીખની વાત કરીએ તો અમદાવાદ ખેડા, ગાંધીનગર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી. જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે