Gujarat Weather : આ જગ્યાઓમાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ! હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 10:49:28

સામાન્ય રીતે જાન્યુઆરીમાં ઠંડીની આગાહી કરવામાં આવતી હોય છે. ક્યાં કેટલી ઠંડી પડશે, ક્યાં કેવું વાતાવરણ રહેશે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા અલગ અલગ ચેન્જ આવી રહ્યા છે જેને કારણે કુદરતનું સંતુલન ડગમગી ગયું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે  શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ હવે ફરીથી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે.

As Per Unseasonal Rain Falls On Gujrat These District | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

અનેક વિસ્તારોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ!

ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. નલિયા સૌથી ઠંડોગાર પ્રદેશ બન્યો હતો ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી છે માવઠાની આગાહી?

કમોસમી વરસાદ થવાને કારણે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માવઠા અંગે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તિથલ અને તેની આસપાસન વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે. 8 જાન્યુઆરી માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દિવમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ઠંડી અંગેની વાત કરીએ તો રવિવારે નલિયાનું તાપમાન 10.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 14.0 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 18.4, ભુજનું તાપમાન 12.8, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું, ભાવનગરનું તાપમાન 17.0, ઓખાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!