Gujarat Weather : આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘમહેર, આજે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-12 12:12:50

ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે.. ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થયું છે.. આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા હતા. 40 ડિગ્રીની ઉપર તાપમાન રહેતું હતું અનેક વિસ્તારોનું જેને કારણે ગરમીનો અહેસાસ વધારે થતો હતો. ગરમીમાંથી ક્યારે મુક્તિ મળશે તે પ્રશ્ન અનેક લોકોના દિમાગમાં હતો. ક્યારે વરસાદ આવશે અને ક્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરશે તેની રાહ જોવાઈ રહી હતી. શનિવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા...


મંગળવારે 26 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ પહેલા દસ્તક લઈ લીધી છે. ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ગઈ છે.. એક તરફ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ક્યાં વરસાદ થશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે મહીસાગરના સંતરામપુરમાં વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ બફારાને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે