Gujarat Weather : આગામી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ભારે... જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...


  • Published By :
  • Published Date : 2024-07-04 15:15:35

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કડીમાં વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ અપાઈ રહ્યું છે.. આગામી દિવસો દરમિયાન ક્યાં વરસાદ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

આજ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર બનાસકાંઠા. સુરત, નર્મદા, તાપી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ,મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. છઠ્ઠી તેમજ સાતમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે