Gujarat Weather : ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ, આ શહેરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રીને પાર, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-20 13:52:51

ગુજરાતના લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મે મહિનામાં ગરમીનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગરમીએ ગુજરાતમાં 45 ડિગ્રી તાપમાનને વટાવી દીધું છે.. રાજ્યના અનેક ભાગોના વિસ્તારો એવા હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હોય.. સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે 45.3 જ્યારે અમદાવાદનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું છે.. 


ઉનાળાની થઈ હતી આકરી શરૂઆત

કાળઝાળ ગરમીનો અહેસાસ હમણાં રાજ્યવાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનો આંકડો જાણે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે તેવું લાગી રહ્યું છે.. આ વર્ષની ગરમી આકરી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. ઉનાળાની શરૂઆતમાં તાપમાનનો પારો એટલો બધો હતો કે લોકો વિચારતા હતા કે હમણાં આ હાલત છે તે મે મહિનામાં શું થશે? 


ચોમાસાની જોવાઈ રહી છે આતુરતાથી રાહ

મે મહિનામાં ભુક્કા બોલાઈ જાય તેવી ગરમી પડી રહી છે..45 ડિગ્રીનો આંકડો ગરમી પાર કરી ચૂકી છે.. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ તે બાદ ફરીથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે... હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી હતી.. પ્રતિદન ગરમીનો પારો વધી રહ્યો છે.. ચોમાસું ક્યારે બેસશે તેની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું જ્યારે ડીસાનું તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 44.2, વડોદરાનું તાપમાન 44, વલસાડનું તાપમાન 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજનું તાપમાન 42.8 ડિગ્રી, અમરેલી - ભાવનગરમાં 44.6 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું જલ્દી બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.