Gujarat Weather : કાળઝાળ ગરમીથી હમણાં નહીં મળે રાહત! આ શહેરોનું તાપમાન પહોંચ્યું 45 ડિગ્રીને પાર! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 12:39:05

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.. ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે જેને કારણે અનેક શહેરો અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે છે.. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હીટવેવની આગાહી પણ કરાઈ હતી. આ બધા વચ્ચે અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. બુધવારે પણ અનેક વિસ્તારોનું તાપમાન 45 ડિગ્રીને આંબી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે..


ગરમીથી હમણાં નહીં મળે રાહત 

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર નોંધાઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોનું તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે.. હીટવેવથી રાહત મળશે તેવી શક્તાઓ આગામી ચાર પાંચ દિવસ સુધી દેખાઈ નથી રહી... ગરમીને લઈ અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત, વલસાડ, આણંદ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે યલો એલર્ટ અમરેલી, વડોદરા, મહેસાણા, બોટાદ માટે કરાઈ છે.. 25 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે અનેક જગ્યાઓનું તાપમાન 45 ડિગ્રીને આંબી ચૂક્યું છે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી, ડીસાનું તાપમાન 43.0, ગાંધીનગરનું તાપમાન 45.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજનું તાપમાન 42.6 ડિગ્રી પર પહોંચ્યું હતું.. અમરેલીનું તાપમાન 45.0 જ્યારે ભાવનગરનું તાપમાન 43.08 ડિગ્રી પર પહોંચ્યું હતું.. રાજકોટનું તાપમાન 43.7 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું.. મહુવાનું તાપમાન 41.8 જ્યારે કેશોદનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું..


ગરમીથી રક્ષણ મેળવવા કરવા જોઈએ આ ઉપાય 

મહત્વનું છે કે ગરમી વધવાને કારણે લૂ લાગવાનો ડર રહેતો હોય છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. હીટ સ્ટ્રોકના શિકાર લોકો થઈ રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે ઘરની બહાર ના નિકળવું, વધારે પાણી પીવું, હલકો ખોરાક ખાવો જોઈએ... જો તમને ઉલ્ટી અને ચક્કર આવતા હોય તો ડોક્ટરને બતાવી દેવું જોઈએ...   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.