Gujarat Weather : ચોમાસું ગમે ત્યારે દઈ શકે છે દસ્તક, જાણો આગામી દિવસો માટે શું કરાઈ આગાહી? આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-07 11:29:58

વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે..કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમી થતા અનેક લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે.. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે અંગેની માહિતી સામે આવી છે.. મુબંઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે..


ક્યાં ક્યારે આવી શકે છે વરસાદ? 

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો સાતમી તેમજ આઠમી તારીખે દાહોદ, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે.  9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં 10 તારીખે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..  11 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મહત્વનું છે કે એક તરફ વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ બીજી તરફ તાપમાનનો પારો નીચે નથી આવી રહ્યો... અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો ગુરૂવારે 42.0 ડિગ્રી જ્યારે ડીસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 41.8 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જલ્દી થાય અને આ કાળઝાળ ગરમીથી જલ્દી રાહત મળે તેવી આશા..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.