Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો?


  • Published By :
  • Published Date : 2024-07-02 12:24:12

ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે.. વરસાદી માહોલ ફૂલ જામ્યો છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મેઘાની જોરદાર બેટિંગ અનેક જગ્યાઓ પર જોવા મળી રહી છે. જૂનાગઢ તેમજ દ્વારકામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાત્રીના સમયે જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

Image


આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

ગઈકાલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું સાથે સાથે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું ત્યારે આજે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો રાજ્યના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે, 350 એમએમ વરસાદ વરસ્યો છે.. વિસાવદરમાં 328 એમએમ વરસાદ જ્યારે જૂનાગઢના 288 એમએમ ઉપરાંત કેશોદમાં 248 એમએમ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 219 એમએમ જ્યારે મેંદરડામાં 182 એમએમ વરસાદ વરસ્યો છે. 

અનેક જગ્યાઓથી સામે આવી મેઘકહેરની તસવીર 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મેઘકહેરની તસવીરો અનેક જગ્યાઓથી સામે આવી છે.. અનેક જગ્યાઓ પર માત્ર થોડા કલાક પડેલા વરસાદે ભૂવા પાડી દીધા છે.. ત્યારે તમારા વિસ્તારમાં કેવો માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે