Gujarat Weather - રાજ્યના આ ભાગો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ગરમીથી લોકો બન્યા ત્રસ્ત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-21 15:24:53

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે.. પરંતુ ગરમી એટલી બધી પડી રહી છે કે લાગે જ નહીં કે ગરમીની સિઝન ખતમ થઈ ગઈ છે.. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે જાણે કિટ્ટા લઈ લીધી હોય તેવું લાગે છે. 24-25 તારીખ બાદ વરસાદી માહોલ જામશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે..આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે..


આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ!

થોડા સમય પહેલા એવું લાગતું ચોમાસું જામ્યું છે.. વરસાદ વરસી રહ્યો હતો. અનેક જગ્યાઓ પર તો વરસાદ એટલો બધો થયો કે લોકો કંટાળી ગયા હતા કે વરસાદ બંધ થાય તો રાહત થાય.. અમદાવાદમાં તો જાણે વરસાદ થયો જ નથી તેવું લાગે.. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 


કઈ તારીખે ક્યાં પડશે વરસાદ?  

તે સિવાય છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આવતી કાલ માટે એટલે કે 22 ઓગસ્ટ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 23 તારીખ માટે કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



27 તારીખ સુધી કેવું રહેશે હવામાન? 

25 ઓગસ્ટના દિવસની કરવામાં આવેલી આગાહી અનુસાર  ખેડા, પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  નવસારી,  વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. 26 તેમજ 27 ઓગસ્ટ માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.