Gujarat Weather : આ શહેરો માટે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જાણો 26 તારીખ સુધી ક્યાં માટે અપાયું ઓરેન્જ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-05-23 17:51:33

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આગમી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. 26 તારીખ સુધી રાજ્યના અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા... અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

News18 Gujarati

રાત્રે પણ થાય છે ગરમીનો અહેસાસ 

ચામડી દાઝી જાય તેવી ગરમી પડી રહી છે.. સૂર્યનારાયણ ભગવાનને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તમે ખમ્મા કરો.. કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે.. ગુજરાત તો જાણે અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાત્રે પણ ગરમીનો ભયંકર અહેસાસ થાય છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જજો સાવધાન!

26 તારીખ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટનો સમાવેશ થાય છે.. દરિયા કિનારે આવેલા વિસ્તારોનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે..


કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય દ્વારા બહાર પડાઈ ગાઈડલાઈન્સ 

મહત્વનું છે ગરમી વધવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ઈમરજન્સી કોલમાં અનેક ઘણો વધારો થયો છે. અનેક લોકોના મૃત્યુ પણ બિમાર પડવાને કારણે થયા.. ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.. ઉનાળામાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી બોડીમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.