Gujarat Weather - હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આપ્યું Orange અને Yellow Alert, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને...


  • Published By :
  • Published Date : 2024-08-02 11:19:34

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક વિસ્તારો એવા હતા જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. વરસાદને કારણે મચેલી તબાહીના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે  આવ્યા છે. ઘેડ પંથક, ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી. મહત્વનું છે કે થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 



આ વિસ્તારો માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.. પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આગાહી કરી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.




પાંચમી તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે સિવાય ભાવનગર, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..ચોથી ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ. ભરૂચ, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ. દમણ , દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..પાંચમી ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે