Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-06-27 16:38:34

રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદી માહોલ હજી પણ વધારે જામશે.. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. આગામી થોડા કલાકો માટે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Image


ImageImage

આ જિલ્લાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોરબી, જામનગર, રાજકોટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે... તે ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, વલસાડ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે  સિવાય આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Image

વરસાદને કારણે જગતના તાતની ઘટી ચિંતા

તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી., ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે..  મહત્વનું છે કે વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતા ઘટી છે.. ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 2 જુલાઈ સુધીની આગાહી કરી છે.     

Image


Image



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે