Gujarat Weather : જાણો આગામી દિવસો માટે શું કરી છે હવામાન વિભાગે આગાહી? જાણો 21 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 16:02:21

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરવામાં આવી.. સમય કરતા પહેલા આ વખતે ચોમાસું બેસી ગયું છે પરંતુ આવતાની સાથે જ નબળું પડી ગયું. જેને કારણે વરસાદ નથી વરસી રહ્યો જેને કારણે ગરમીથી રાહત મળે.. થોડા સમય માટે વરસાદ વરસે છે જેને કારણે બફારાનું પ્રમાણ વધી જાય છે.. ઉકળાટ વધે છે.. પરંતુ આવનાર દિવસોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશ, ક્યાં વરસાદ આવશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે...

Image


ImageImage


આવતી કાલે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

એક સમય હતો જ્યારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ હવે લોકો ગરમીની સાથે સાથે બફારાને કારણે કંટાળી ગયા છે.. બફારાને કારણે ઉકળાટ વધ્યો છે. પહેલા લોકો વરસાદની રાહ જોતા હતા હવે એવા વરસાદની રાહ જોવે છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 16મી તારીખે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Image

ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 17 તારીખ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.  તે સિવાય 19 તેમજ 20 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. 

Image

Image



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.