હવામાન વિભાગની આગાહી: ઠંડીનું જોર યથાવત, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે


  • Published By :
  • Published Date : 2023-02-03 13:12:42

રાજ્યમાં હજુ પણ હાંડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે તથા વહેલી સવારે કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. અકળાવી નાખે તેવી ગરમી પડે તેવી સંભાવના હજું ઓછી છે. રાજ્યમાં રાત્રીના સમયે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે, જોકે, ધીરે-ધીરે તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.


નલિયા ટાઢુંબોળ


નલિયામાં 2 ફેબ્રુઆરીએ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજ્યનું સૌથી ઓછું 4 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતું. આ સિવાય કંડલા (એરપોર્ટ)નું લઘુત્તમ તાપમાન 10ની અંદર નોંધાયું હતું. ગાંધીનગ, ભૂજ, ડીસામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું હતું.


માર્ચમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે. જો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40ની નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.