Gujarat Weather : આગામી દિવસોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ, જાણો હવામાનને લઈ કરવામાં આવેલી આગાહી વિશે..


  • Published By :
  • Published Date : 2024-02-01 15:37:18

છેલ્લા એક બે દિવસથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની આગાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 


દ્વારકાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!

ડિસેમ્બર મહિનામાં માવઠાને કારણે ઠંડીનો અનુભવ વધારે થયો હતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અનેક જગ્યાનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડા દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો નોંધાયો છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.   


કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

આવનાર સમયમાં ઠંડીમાંથી હજી વધારે રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધ્યું છે જેને કારણે ઠંડીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું    



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .