Gujarat Weather - રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-11-22 16:59:14

ગુજરાતમાં એક તરફ રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...... ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારા અનુભવાતા હતા પરંતુ હવે ધીરે ધીરે બપોરના સમયમાં પણ ઠંડી લાગે છે... સૂર્યનારાયણની ગરમી મળે છે પરંતુ તેની સાથે સાથે પવન પણ હોય છે જેને કારણે ગરમીનો અહેસાસ લાગ્તો નથી... આવનાર દિવસોમાં હવામાનમાં બહુ  ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે દાહોદ અને ડીસાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે... તે સિવાય વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યાંનું તાપમાન 14.6 ડિગ્રી જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.. તે સિવાય રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદનું તાપમાન 17.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.. 



માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં!

મહત્વનું છે કે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે... ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા, રાજસ્થાન જેવા રાજ્યો માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે... મહત્વનું છે કે અનેક પર્યટકો ઠંડીના સમયે ઠંડીનો અહેસાસ કરવા માટે જતા હોય છે...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે