Gujaratના મતદાતાઓ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ, Chaitar Vasava,GeniBen Thakor, Amit Shahએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 11:30:28

ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે... ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કર્યું છે. તે ઉપરાંત પોરબંદર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું છે.. પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. તે સિવાય પરમિલ નથવાણીએ પણ પોતાના વતન ખંભાળીયામાં મતદાન કર્યું છે.   


આ બેઠકો રહી હતી ચર્ચા

દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા વારંવાર થઈ.. તેમાની એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠકની ચર્ચા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ હતી. તે સિવાય બનાસકાંઠાની બેઠક પર બંને રાજકીય પાર્ટીઓએ મહિલાઓને ટિકીટ આપી છે. તે સિવાય ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પણ થતી હોય છે ઉમેદવારને કારણે.. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.