ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણુંકથી વિવાદ વકર્યો, 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 20:33:02

મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક ગઈ છે. જો કે આ નવી નિમણૂકના કારણે સ્થાપિત હિતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાં તેને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. 


ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા


ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણુંક થતા ટ્રસ્ટીઓમાં ચણભણ શરૂ થઈ ગઈ હતી. અંતે  9 ટ્રસ્ટીઓએ સરકારના આ નિર્ણયના વિરોધમાં રાજીનામા આપી દેતા વિવાદ વકર્યો છે. આ ટ્રસ્ટીઓમાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ, કપિલ શાહનો સમાવેશ થાય છે.



ટ્રસ્ટીઓએ સરકાર પર શું આરોપ લગાવ્યા?


ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક થતાં ટ્રસ્ટીઓએ તેને બિનલોકતાંત્રિક પગલું ગણાવ્યું છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવો જોઇએ પરંતુ બહુમતીથી લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાંઅત્યાર સુધી કુલપતિ નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતી હતી.  વિદ્યાપીઠના ટ્રસ્ટના નિયમ અનુસાર નવા કુલપતીની પસંદગી નહી થવાના કારણે ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ હતો. ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી યોગ્ય સંવાદ કર્યા વગર જ મુળ તત્વને અભેરાઈએ ચડાવીને નવા કુલપતિની નિમણુંક કરી દેવાઇ છે. 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.