Gujarat Unseasonal Rain : રાજ્યના આ વિસ્તારોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2024-04-13 12:40:45

એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી પણ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરાઈ છે. માવઠાને કારણે જગતના તાતને ફરી એક વખત રડવાનો વારો આવવાનો છે...હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 



આ જગ્યાઓ પર વરસશે મુસીબતનું માવઠું 

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 15 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવમાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,ભરૂચમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે ઉપરાંત સુરત,નવસારી,વલસાડ, અમરેલી સહિત અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે.  આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, સુરત,ભરૂચ, નવસારી-વલસાડ,ભાવનગર,ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 



માવઠાને લઈ હવામાન નિષ્ણાતોએ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દ્વારકા, જામનગર, પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... જગતના તાતને માવઠાને કારણે અનેક વખત ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. પકવેલા પાક માવઠાને કારણે ધોવાઈ જાય છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.