1002 CNG સ્ટેશન અને 30,78,162 PNG કનેક્શનો સાથે ગુજરાત દેશભરમાં મોખરે


  • Published By :
  • Published Date : 2023-11-06 14:40:03

દુનિયા ગ્વોબલ વોર્મિગની સમસ્યાની ઘાતક અસરોથી ચિંતિત છે, ત્યારે વિશ્વના વિવિધ દેશમાં દ્વારા પ્રદુષણ ઘટાડતા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનોના બદલે CNG વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર દેશમાં સૌથી વધુ CNG સ્ટેશનોની સંખ્યાના મુદ્દે ગુજરાત મેદાન મારી ગયું છે. ગુજરાતને પ્રદુષણમુક્ત કરવાની રાજ્ય સરકારની પહેલના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં CNG સ્ટેશનો સ્થાપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા રજુ કરવામાં આવેલા આકડાં મુજબ જુલાઈ 2023 સુધીમાં ગુજરાતમાં 1002 સીએનજી સ્ટેશન છે. આ તમામ CNG સ્ટેશન રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલા છે. ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં આવેલા સીએનજી સ્ટેશનોના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. 


અન્ય રાજ્યોમાં કેટલા છે ગેસ સ્ટેશન 


પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા પ્રગટ કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.  જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. 


PNG કનેક્શન કેટલા છે?


પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)એ જાહેર કરેલા આંકડા અનુસાર, જૂલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે. ઉલ્લેખનિય છે કે PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.