Gujaratના શિક્ષકોને અપાઈ CPR Training, વધી રહેલા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-12-03 16:31:13

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકને કારણે મોત ભેટી રહ્યા છે તો વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે  થઈ રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના મોત થઈ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે લાખથી વધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 17 ડિસેમ્બરે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.         

બાળકોને આવી રહ્યા છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યાં એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે છે. પરંતુ કોરોના બાદ તો આ વાત ખોટી સાબિત થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક એવા કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. બાળકોમાં વધી રહેલા હૃદયહુમલાને કારણે શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. 

શિક્ષકોને આપવામાં આવી સીપીઆરની ટ્રેનિંગ

એવું માનવામાં આવે છે કે જો તરત સારવાર મળી રહે તો જીવ બચી શકતો હોય છે. સીપીઆર આપતા જો આવડતું હોય તો અનેક વખત પ્રાથમિક સારવારથી જીવ બચાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રીએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે. તે ઉપરાંત બે લાખ જેટલા શિક્ષકોને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વનું છે કે હવે બાળકોના જીવ બચાવવાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી રહી છે!      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.