ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, પરિક્ષાના ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવા અનિવાર્ય, જાણો તારીખ


  • Published By :
  • Published Date : 2023-07-14 19:26:40

સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યમાં યોજાનારી આગામી 5 પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેતા ઉમેદવારો માટે સંમતિપત્ર ફરજિયાત કર્યા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. 


આ 5 પરીક્ષાઓ માટે સંમતિપત્ર 


ગૌણ સેવા પસંદગી મંડળની પાંચ પરિક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ, વર્ક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઈજનેર અને લેખનકારની પરીક્ષા માટે 17 થી 27 જુલાઇ સુધીમાં સંમતિ પત્ર ભરવાના રહેશે


સંમતિપત્રક ક્યા અને કેવી રીતે ભરવું?


ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટે સંમતિપત્રક ઓજસ પર ઓનલાઇન ભરી શકાશે. સૌથી પહેલા તમારે ઓજસના હોમપેજ પર જવાનું પછી નોટિસ બોર્ડ સેક્શનમાં જવાનું અને પછી સંમતિ ફોર્મ ફરવા માટે ક્લિક કરો લખ્યું હોય ત્યાં ક્લિક કરી પોતાના કન્ફર્મેશન નાખી, જન્મતારીખ ભરીને લોગઈન કરવાની રહેશે. ઉપરથી આ બધુ 27 જુલાઈ સુધી જ કરવાનું રહેશે. ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટએ યોજાનાર છે. પરીક્ષા માટે ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે. 


શા માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા?


સંમતિપત્રક ભરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે બધા તો નહીં પણ અમુક છોકરાઓ ખાલી પરીક્ષા આપવા માટે પરીક્ષા આપે છે, તૈયારીઓ નથી કરતા બસ ખાલી એમને એમ પરીક્ષા આપી દે છે. જે છોકરાઓ પરીક્ષા પ્રત્યે ગંભીર નથી ખાલી ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરે છે અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા હાજર નથી રહેતા તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપણે જાણીએ જ છીએ કે પરીક્ષા લીધા બાદ આપણે આંકડો જોઈએ છીએ કે કેટલા છોકરાઓએ પરીક્ષા આપી અને કેટલા ફોર્મ ભરાયા હતા. તો હંમેશા જેટલા ફોર્મ ભરાયા હોય તેની તુલનામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી જતા.  મંડળને તો આંકડા મુજબ મેનેજમેન્ટ ઉભુ કરવાનું હોય છે, તેમને પોલીસનું મેનેજમેન્ટ કરવાનું હોય છે, શિક્ષકોનું મેનેજમેન્ટ કરવાનું હોય, સુપરવાઈઝર, ઈન્વીજીલેટર, પરીક્ષા ખંડ, સ્કૂલ, નિયામકો વગેરે ઘણું બધુ રોકાતું હોય છે. જો વિદ્યાર્થી પરીક્ષા નથી આપતા તો મંડળનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે. ઉપરથી બિનનજરૂરી ખર્ચ થાય છે સાચી રીતે જે ઉમેદવારો પરીક્ષા માટે મહેનત કરે છે તેને લાભ થાય તે માટે મંડળે સંમતિપત્રક ફરજિયાત કર્યું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!