Gujaratના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, જાણો Ahmedabad સહિતના શહેરોમાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-18 10:28:03

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે ગુજરાતીઓને થવા લાગ્યો છે. કોઈ વખત તાપમાનના પારામાં વધારો થાય છે જેને કારણે ઠંડી ઓછી લાગે છે પરંતુ હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો હતો જેને કારણે ઓછી ઠંડી લાગતી હતી પરંતુ આજે તાપમાનનો પારો ગગડી શકે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ફરીથી ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.


15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન!

ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને હવે થઈ રહ્યો છે. પહેલા ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ હવે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે! રવિવારે ઓછી ઠંડી હોય તેવું લાગતું હતું પરંતુ આવનાર દિવસોમાં હાડ થીજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 9 જેટલા શહેરો એવા છે જ્યાંનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઓછું નોધાયું છે. 


રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

જો શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પાર 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 15.6 નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 20.2 જ્યારે ડીસાનું 12.6 ડિગ્રી નોંધાયું છે. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.0, દમણનું તાપમાન 18.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 11.0 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 17.0 ડિગ્રી, ઓખાનું તાપમાન 22.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 16.2 ડિગ્રી, દીવનું તાપમાન 18.4 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 15.4, રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. 


22થી 24 ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે માવઠું! 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર બાદ 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માહિના દરમિયાન હવામાનમાં ઘણા પલટા આવી શકે છે તેવી સંભાવના છે. વધુમાં તેમણે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!