Gujarat: આટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં કરી સરવાળાની ભૂલ, શિક્ષકોને ફટકારવામાં આવ્યો કરોડોનો દંડ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-07 10:40:41

નાનપણમાં આપણને શિક્ષક સરવાળો કરવાનું શિખવાડતા હતા. પાયાનું જ્ઞાન શિક્ષક આપણને આપતા હતા પરંતુ આજે એવા શિક્ષકોની વાત કરવી છે જેમને સરવાળો કરતા નથી આવડતું! વાત એમ છે કે એવા શિક્ષકોને દંડવામાં આવ્યા છે જેમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનાર 9218 શિક્ષકોને દંડિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શિક્ષકો પાસેથી કુલ 1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે.  



શિક્ષકોને ફટકારવામાં આવ્યો દંડ!

વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના માર્ક્સનું મહત્વ હોય છે. આ માર્ક્સના આધાર પર લાઈન નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત ઓછા માર્ક્સ હોવાને કારણે વિદ્યાર્થી લાઈન નથી લઈ શકતા. આન્સરશીટના સરવાળામાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીના માર્ક્સ ઘટી જતા હોય છે. ત્યારે સરવાળામાં ભૂલ કરવા બદલ શિક્ષકોને દંડ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં આ વાતને લઈ  પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. 



ધોરણ 10 અને ધોરણ 12ના આટલા શિક્ષકોએ કરી સરવાળામાં ભૂલ!

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. ધારાસભ્યના પ્રશ્ને કારણે સામે આવ્યું કે શિક્ષકોને સરવાળો કરતા નથી આવડતો, સરવાળામાં ભૂલ થાય છે!પ્રશ્નનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકોએ જ્યારે ધોરણ 12માં 5868 શિક્ષકોએ સરવાળામાં ભૂલ કરી છે.  ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 9218 શિક્ષકોએ માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.