કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત! અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:20:20

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. દિવસ દરમિયાન તો ગરમીનો માર સહન કરવો પડે છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી અનુભવાય છે... રાત્રે પણ ગરમ પવન વહે છે.. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે... ત્રાહિમામ પોકારી ગયા છે.. આજે પણ અમદાવાદ સહિત અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું. 46 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન પહોંચ્યું હતું...


દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ગરમી ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવી રહી છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી પૂરવાર થઈ રહી છે.. આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.. તાપમાનનો પારો 46 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.. 



આ જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે.. હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી દિવસો દરમિયાન કચ્છ, બનાસકાંઠા. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, રાજકોટ,  ભાવનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3, ગાંધીનગરનું તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું હતું.. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, સુરતનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું છે.. ત્યાં તાપમાનનો પારો 46.1 પર પહોંચી ગયો છે.. અમરેલીનું તાપમાન 44.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.. 


ડિહાઈડ્રેશન ના થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. અચાનક ચક્કર ખાઈને ઢળી પડે અને મોતને અનેક લોકો ભેટી રહ્યા છે... કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત બને તેટલું વધારે પાણી પીવું જોઈએ.. બોડીમાં ડિ  હાઈડ્રેશન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. જો ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.