એક ટ્વિટથી Gujaratનું ગરમાયું રાજકારણ! Rajkotમાં Congress Leader Dr Hemang Vasavadaએ Suratની ઘટના પરથી શું કટાક્ષ કર્યો?


  • Published By :
  • Published Date : 2024-04-25 15:33:14

ગુજરાતનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે... ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાન થાય તે પહેલા સુરત બેઠક પર ઉતરેલા બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનબરીફ જાહેર થઈ ગયા અને તે સાંસદ પણ બની ગયા.. આજે સુરતમાં થયેલી ઘટનાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે રાજકોટમાં કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ એક ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે જાણકારી આપી છે કે, રાજકોટમાં પણ સુરત જેવું થતા થતા રહી ગયું.! આ ટ્વિટને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે..

પરેશ ધાનાણીને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અપાઈ છે ટિકીટ 

કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટ્વિટને વિસ્તારથી સમજીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પહેલા વિક્રમ સોરાણીને ટિકીટ આપવાની હતી. વિક્રમ સોરાણીને ટિકીટ આપવા માટે પાર્ટી વિચારણા કરી રહી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. 


કોંગ્રેસના નેતાએ કટાક્ષ કરતા લખ્યું છે.. 

પોતાની ટ્વિટમાં ડો.હેમાંગ વસાવડાએ લખ્યું કે રાજકોટ લોકસભાના કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિક્રમ સોરાણીને ટિકીટ અપાવવા ખાસી કોશિશ કરી હતી . સારુઁ છે કે મારા જેવા લોકોએ સમયસર વિક્રમ સોરાણીને ટિકીટ આપતા કોંગ્રેસને રોકી નહીં તો સુરતવાળી રાજકોટમાં થતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિક્રમ સોરાણી એપ્રિલ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાઈ શકે છે...  


સુરતીઓને વગર મતદાને મળી ગયા સાંસદ!

મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે આપણે સૌ જાણીએ છીએ.. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ઉમેદવારી પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું, તે ઉપરાંત બીજા ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત લીધું હતું. જેને કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા અને તે સાંસદ પણ બની ગયા.. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બંને પાટીદાર નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક તરફ પરેશ ધાનાણી છે તો બીજી તરફ ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે... 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.