ભ્રષ્ટાચાર,અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નીકળેલા કૌરવોની યાત્રાને ગુજરાતે નકારી - કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:27:07

ગુજરાતમાં ભાજપ ગૌરવ યાત્રા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ફૂલ ફલેજમાં આવી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જઈ પ્રચાર નથી કરી રહી, પરંતુ ટ્વિટર પણ એક્ટિવ થઈ ભાજપનો વિરોધ કરી રહી છે. ગૌરવ યાત્રા પર કોંગ્રેસ અનેક પ્રહાર કરી રહ્યું છે. મતદારોને રિઝવવા તેમજ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચવા આ યાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

  

ખાલી ખુરશીના બહાને કોંગ્રેસે કર્યો ગૌરવ યાત્રા પર પ્રહાર   

દિનપ્રતિદિન ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા ચર્ચાનો વિષય બની રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ યાત્રા પર કટાક્ષ કર્યા હતા. જીગ્નેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકર હોય કોંગ્રેસના તમામ નેતાઓ ગૌરવ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરી છે જેમાં ગૌરવ યાત્રા દરમિયાન ખાલી પડેલી ખુર્શી બતાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નિકળી કૌરવ યાત્રાને ગુજરાતે નકારી, હવે ગુજરાત પરિવર્તન મક્કમ. 

ચૂંટણી પ્રચારમાં મહાભારતના પાત્રોનો થઈ રહ્યો છે ઉપયોગ 

મહત્વનું છે હજી સુધી મહાભારતના પાત્રોનો ઉલ્લેખ આમ આદમી પાર્ટી અને ભાજપ કરતી હતી. પરંતુ આ રેસમાં કોંગ્રેસ પણ સામેલ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંસની ઓલાદો કહીં ભાજપ પર નિશાન સાધ્તા હતા ત્યારે કોંગ્રેસે ભાજપની તુલના કૌરવની સાથે કરી દીધી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિવસેને દિવસે મહાભારતના પાત્રોનો ઉપયોગ એક બીજા પર પ્રહાર કરવા માટે થઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આની પર શું પ્રતિક્રિયા આપે છે.  પોતાના પ્રચારમાં મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરવો કેટલા અંશે યોગ્ય છે.  




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.