Gujarat: Loksabha Election પહેલા ભાજપમાં થશે ભરતી મેળો! અટકળો તેજ બની કે મોટા નેતાઓ કરી શકે છે કેસરિયો ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 10:10:46

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અને પછી જોડ-તોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આપરેશન લોટસની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન લોટસ અંતર્ગત બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે, થોડા સમય પહેલા આ અંગેની કમિટી પણ રચવામાં આવી જેની કમાન ભરત બોઘરાને આપવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે અર્જુન ખાટરીયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. 

રાજકોટ જિ.પં.ના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલાં  કોંગ્રેસે હકાલપટ્ટી કરી

અપક્ષના ત્રણ ધારાસભ્યો આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ થોડા સમય સુધી આ રાજીનામાનો દોર શાંત રહ્યો. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. તે બાદ રાજકારણ ગરમાયું. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયો ધારણ કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના અર્જુન ખાટડિયા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. પોતાના સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં આગળ શું નવા જુની થાય છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!