Gujarat Rain : રાજ્યમાં આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરાયું. જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-07-05 15:26:21

રાજ્યમાં ચોમાસું જામ્યું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓથી તો એવી તસવીરો સામે આવી જેને જોતા લાગે કે વરસાદે મહેર નહીં પરંતુ કહેર વરસાવ્યો હોય.. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ગઈકાલે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આજ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવે છે.. ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આજ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 



ગુરૂવારે 113 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છઠ્ઠી તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ગુરૂવારે 113 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે