Gujarat Rain - 14 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ભરૂચમાં વરસાદે મચાવી તબાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-09-04 14:39:57

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડે જે તબાહી મચાવી છે તે આપણે જોઈ છે.. વડોદરામાં સર્જાયેલી હાલતથી આપણે વાકેફ છીએ. વરસાદના બીજા રાઉન્ડ ભરૂચ સહિતના વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ભરૂચથી અનેક દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ!

તે ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા. અરવલ્લી, મહીસાગર. દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાંચમી તારીખ એટલે કે આવતી કાલ માટેની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠીથી તારીખ માટે.. તે સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..




આટલા તાલુકામાં નોંધાયો વરસાદ!

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ભરૂચના વાલિયામાં નોંધાયો છે. તે ઉપરાંત નેત્રંગ અને ઉમરપાડામાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી, દાંતીવાડા, પલસાણા, જોટાનામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે