Gujarat Rain : જુઓ વરસાદની તસવીરો.. ક્યાંક બાળકો વરસાદની મજા માણતા દેખાયા તો ક્યાંક પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 19:06:17

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ થતા લોકોમાં ખુશી તો છે પરંતુ અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની કામગીરી પર સવાલ ઉભા કરે તેવા છે. અલગ અલગ જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કોઈ જગ્યા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈ જગ્યા પર પુલ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

ક્યાં માટે કરાઈ છે વરસાદની આગાહી?  

ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા અને ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની પ્રતિક્ષા થઈ રહી હતી. ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.


અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં.. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો સારો વરસી રહ્યો છે પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખોલી દે તેવા છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે. વરસાદને કારણે પાણીની આવક થઈ છે અને ડેમો ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. 



પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર જોવા મળ્યું પાણી 

બોટાદમાં વરસાદના બીજા રાઉન્ડે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, અવેડાગેઈટ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સહિતનાં રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. તે સિવાય મોરબીની વાત કરીએ તો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય રોડ પર પાણી જોવા મળ્યું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..


પુલ ધોવાઈ જવાને કારણે.... 

તે સિવાય ભાવનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે સિવાય જામનગરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં પુલ ધોવાઈ જવાને કારણે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તે સિવાય વરસાદી માહોલ અમરેલી, વડોદરામાં પણ જામ્યો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો,, 



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.