Gujarat Rain : રાજ્યના આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 13:04:14

મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. અનેક લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો છે.. ત્યાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image


આટલા જિલ્લાઓ માટે કરવામાં આવી આગાહી

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવતું હોય છે.. આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે 15 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવ્યો છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે સિવાય દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Image

તમારે ત્યાં કેવો માહોલ?

તે સિવાય નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે વરસાદનું આગમન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..