ગુજરાત જાહેર સેવા આયોગના ઉમેદવારોને ઝટકો, આ પરીક્ષાઓ રખાઈ મોકૂફ, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-07 15:12:08

ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2ની ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે માઠાં સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે તેની પૂર્વ નિર્ધારીત ઉપરોક્ત બંને પરીક્ષાઓ મોકુફ રાખી છે. તે જ પ્રકારે ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. 



શા માટે પરીક્ષા મોકૂફ રખાઈ?


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત તા. 02,09,16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર (જા. ક્ર. 20/ 2022-23) ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


આયોગ નવી તારીખ જાહેર કરશે


ગુજરાત જાહેર સેવા આયોગની પૂર્વનિર્ધારીત પરીક્ષાઓ મોકૂફ થતાં હવે આયોગ હવે નવી તારીખ તેની વેબસાઈટ પર જાહેર કરશે. એક વખત તારીખ નક્કી થયા બાદ તે નવી તારીખ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે આયોગે તમામ ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.