પેપર લીક કરનારા ચેતી જજો, પરીક્ષામાં ગેરરીતિ રોકવાના કાયદાને રાજ્યપાલની મંજુરી


  • Published By :
  • Published Date : 2023-03-06 20:52:29

ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે યોજાતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. સરકાર પેપર લિક કાંડને રોકવા માટે અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવી હતી. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, આજે આ બિલ પર રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે હસ્તાક્ષર કરતાં હવે તે કાયદો બની ગયો છે. 


આ છે કાયદાની મહત્વની જોગવાઈઓ 


1-કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ 

2-પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો તે ગેરરીતિ ગણાશે 

3-ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ 

4-દોષિત પરીક્ષાર્થીઓ બે વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રહેશે

5-પેપર લિંક કરનારાને  ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ

દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે

6-દોષિતની પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત

7-પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા

8-ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

9-અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે

10-પેપર લિકનો ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર છે

11-PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ

12-DYSPકક્ષાના પોલીસ અધિકારીઓ કરશે કેસની તપાસ

13-પરીક્ષા સત્તામંડળ અધિકારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે  તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાનો નાણાકીય દંડ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.