Gujarat : વિધાનસભા પરિસરમાં Congressના ધારાસભ્યોનો વિરોધ, અદાણીને સરકારે રૂ. ૮૨૦૦ કરોડ વધારે ફાળવવા મુદ્દે કર્યો હોબાળો!


  • Published By :
  • Published Date : 2024-02-06 14:08:40

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પહેલેથી આક્રામક દેખાઈ રહી છે. સંસદમાં પણ જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદો હોબાળો કરતા હતા અને અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. 

વિપક્ષે વિધાનસભામાં કર્યો હોબાળો!

ઉર્જાને લઈ અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. કેટલા ચાર્જ વસુલવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી પરંતુ ચાર્જ કરતા વધારે ચાર્જ લેવામાં આવે છે તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવ્યો. સત્રમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો જેનો જવાબ ઉર્જા મંત્રીએ આપ્યો હતો. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.