Gujarat Politics : Naran Rathwa BJPમાં જોડાયા, સાંભળો C.R.Patilના નિવેદનને જેનાથી અડધું ગુજરાત અસહેમત હશે..!


  • Published By :
  • Published Date : 2024-02-28 09:59:30

ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી ચહેરો ગણાતા નારણ રાઠવા, પોતાના પુત્ર તેમજ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસ પાસે એક મુખ્ય આદિવાસી ચહેરો હતો નારણ રાઠવાના રૂપમાં પરંતુ તે પણ હવે ભાજપમાં જતા રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. આદિવાસી વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તે ફરવાની છે તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે નારણ રાઠવા જ્યારે ભાજપમાં જોડાયા તે વખતે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેનાથી કદાચ અડધું ગુજરાત અસહેમત હશે.   

પક્ષપલટો કર્યા બાદ બદલાય છે નેતાના સુર!

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયમાં ભાજપમાં એટલા ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તાઓ જોડાયા છે જેની કલ્પના કદાચ ભાજપે પોતે નહીં કરી હોય.! આપણી સામે એવા અનેક ઉદાહરણો છે કે સાંજ સુધી ભાજપની નીતિને વખોડતા હતા તે જ ભાજપમાં જોડાયા બાદ ભાજપના વખાણ કરવા લાગે છે. જે પાર્ટીમાં રહી તે ચૂંટાયા હોય છે, સાંસદ સભ્ય બન્યા હોય છે, ધારાસભ્ય બન્યા હોય છે તે જ પાર્ટી તેમને ખરાબ લાગવા લાગે છે. જે પાર્ટી માટે વર્ષો સુધી મહેનત કરી તે જ પાર્ટી માટે ખરાબ રાજનેતાઓ બોલવા લાગે છે પક્ષપલટો કર્યા બાદ. 

 


વિકાસના કામો અટકી ન જાય તે માટે નેતાઓ કરે છે પક્ષપલટો! 

મુખ્યત્વે નેતાઓ ભાજપમાં જોડાયા પાછળનું કારણ એ આપતા હોય છે કે બીજા પાર્ટીમાં રહીને જનતા માટે કામ નથી થતાં. લોકોને સુવિધાઓ મળી રહે તે માટે તે પક્ષપલટો કરી રહ્યા છે. પણ ખરેખર એવું હોય છે ખરૂં? શું સાચે મતદાતાઓ માટે રાજનેતાઓ ભાજપમાં જતા હોય છે કે પછી પોતાના કામો કઢાવવા માટે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સી.આર.પાટીલે જે તર્ક આપ્યો તેના પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.