Gujarat Politics : એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે Jawahar Chawda કોંગ્રેસમાં જવાના છે અને પેટા ચૂંટણી લડશે, સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા કે...


  • Published By :
  • Published Date : 2024-03-25 17:41:42

ભાજપમાં ભરતી મેળો થતો અનેક વખત જોયો છે. અનેક નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ જતા હોય છે. તાજેતરમાં અનેક એવા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના નેતા જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જઈ શકે છે. આવી ચર્ચાઓ થવા પાછળ પણ અનેક કારણો હતા જેમ કે ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ...

એવી ચર્ચાએ જોર પકડ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે!

સવારથી એવી  ચર્ચાએ જોર પકડ્યું હતું કે જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહેશે. કોંગ્રેસમાં ભરતી મેળો યોજાશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે ત્યારે આવી ચર્ચાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. સવારથી જ્યારે આવી ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે જમાવટની ટીમે જવાહર ચાવડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો.. જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી. મહત્વનું છે કે તે પહેલા કોંગ્રેસમાં હતા, તે પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. એવું પણ લાગતું હતું કે તે કોંગ્રેસમાં જશે તો તે પેટા ચૂંટણી પણ લડી શકે છે.

Image

સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાએ આપી સ્પષ્ટતા... 

આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.. આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા.


જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.