Gujarat Politics : જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ પેટા ચૂંટણી માટે BJP બનાવશે ઉમેદવાર! શું મતદાતાઓ ફરીથી કરી શકશે વિશ્વાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 15:08:18

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ મતદાતાઓ વિચારી રહ્યા હશે કે કોને મત આપવો તો બીજી તરફ 6 વિધાનસભા મતવિસ્તારના લોકોને એ પણ વિચારવું પડશે કે તે કોને ધારાસભ્ય તરીકે ચૂંટે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમને જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવશે. 


અનેક ધારાસભ્યોએ આપ્યું છે પોતાના પદ ઉપરથી રાજીનામું!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વીજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે તે બાદ તેમને માણાવદરથી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.


જેમણે પક્ષપલટો કર્યો છે તેમના પર મતાદાતાઓ ફરીથી મૂકી શકશે વિશ્વાસ!

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પક્ષ પલટો ધારાસભ્યો કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે મતદાતાઓના પ્રેશરને કારણે,  પોતાના મત વિસ્તારના વિકાસના કામો થાય તે માટે જઈ રહ્યા છે પરંતુ પક્ષપલટો કરવા પાછળ કોનો વધારે સ્વાર્થ હોય છે તે આપણે જાણીએ છીએ. પક્ષપલટો કરતા પહેલા નેતાઓ પોતાના મતદાતાઓનો પણ વિચાર નથી કરતા. પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો પક્ષપલટો કરી લે છે અને મતદાતા બિચારા લાચાર થઈ તમાશો જોતા હોય છે!  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.