Gujarat Politics : જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ પેટા ચૂંટણી માટે BJP બનાવશે ઉમેદવાર! શું મતદાતાઓ ફરીથી કરી શકશે વિશ્વાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 15:08:18

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ મતદાતાઓ વિચારી રહ્યા હશે કે કોને મત આપવો તો બીજી તરફ 6 વિધાનસભા મતવિસ્તારના લોકોને એ પણ વિચારવું પડશે કે તે કોને ધારાસભ્ય તરીકે ચૂંટે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમને જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવશે. 


અનેક ધારાસભ્યોએ આપ્યું છે પોતાના પદ ઉપરથી રાજીનામું!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વીજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે તે બાદ તેમને માણાવદરથી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.


જેમણે પક્ષપલટો કર્યો છે તેમના પર મતાદાતાઓ ફરીથી મૂકી શકશે વિશ્વાસ!

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પક્ષ પલટો ધારાસભ્યો કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે મતદાતાઓના પ્રેશરને કારણે,  પોતાના મત વિસ્તારના વિકાસના કામો થાય તે માટે જઈ રહ્યા છે પરંતુ પક્ષપલટો કરવા પાછળ કોનો વધારે સ્વાર્થ હોય છે તે આપણે જાણીએ છીએ. પક્ષપલટો કરતા પહેલા નેતાઓ પોતાના મતદાતાઓનો પણ વિચાર નથી કરતા. પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો પક્ષપલટો કરી લે છે અને મતદાતા બિચારા લાચાર થઈ તમાશો જોતા હોય છે!  




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.