Gujarat Politics :કવિતા ટ્રેન્ડનું ફરી સામે આવ્યું ઉદાહરણ! Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતામાં સરદાર સ્ટેડિયમનો કર્યો ઉલ્લેખ, જાણો


  • Published By :
  • Published Date : 2024-04-08 11:30:45

એક તરફ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોરશોરથી આગળ વધી રહ્યો છે.... છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી દ્વારા કવિતા શેર કરવામાં આવી રહી છે. કવિતાના માધ્યમયથી તે નામ લીધા વગર કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. વર્તમાન મુદ્દાઓને લઈ તેમણે અનેક વખત કવિતા શેર કરી છે, ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે સરદાર સ્ટેડિયમ અંગે વાત કરી છે...

 

ગુજરાતમાં ચાલી રહ્યો છે કવિતા ટ્રેન્ડ! 

રાજનેતાઓમાં જાગેલો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે, કોઈ વખત જાગીને થોડા સમયની અંદર સૂઈ પણ જતો હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજનેતામાં રહેલો કવિ ઉભરીને બહાર આવી રહ્યો છે...! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કવિતા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કવિતાના માધ્યમથી નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે, નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે વગેરે વગેરે.., આવી કવિતાઓ સામે આવવી જાણે આજકાલ નોર્મલ બની ગયું છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી કવિતા મૂકી કટાક્ષ કરી રહ્યા છે... ત્યારે આજે ફરી એક કવિતા શેર કરી છે. 

પરેશ ધાનાણીએ ફરી શેર કરી કવિતા અને લખ્યું.... 

આની પહેલા પણ પરેશ ધાનાણીએ અનેક કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર લખ્યું છે હે શક્તિ, તમે શાંત રહેજો.... તેની પહેલા પણ કવિતા શેર કરી હતી જેમાં અહંકાર હંમેશા હારે છે તેવું લખ્યું હતું... તેની પહેલા કમલમમાં ચાલતા કકળાટ અંગેની કવિતા પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે કવિતા ટ્રેન્ડમાં કદાચ આવનાર સમયમાં ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાય તો નવાઈ નથી.. કારણ કે અનેક મુદ્દાઓ પર ભાજપ તેમજ આપના નેતાઓ દ્વારા કવિતા શેર કરવામાં આવી છે... ત્યારે પરેશ ધાનાણીએ નવી શેર કરેલી કવિતા પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.