ગુજરાત પેન્શનર સંકલન સમિતિ માગ સાથે મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:21:36

પોતાના વોટ બેંકને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરી પોતાની વાહ-વાહી કરાવતી રહે છે. ત્યારે પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ મેદાનમાં આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના સોમનાથ ખાતે યોજાયું હતું. સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ચાર મહાનગરોમાં કલેક્ટરને આવેદન પાઠવી અને સૂત્રોચ્ચાર કરશે.  


2021માં કરી હતી સરકારને રજૂઆત 

પોતાની માગણીઓ વિશે સરકારનું ધ્યાન દોરાવવા માટે 7 ડિસેમ્બર 2021ના રોજ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવ્યો હતો. દરેક જિલ્લા મથકે મૌન ધારણ કરી આવેદન પત્ર પાઠવ્યા હતા. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ માંગણીઓ ના સ્વીકારાતા પેન્શનર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવુ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. તે ઉપરાંત જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે મોટા પાયે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના પેન્શનરો મંડળો પણ ટેકો આપશે.


પેન્શનર્સની 10 પડતર માંગણીઓ 

2004થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો. સિનીયર સિટીઝને રેલ્વે તથા હવાઈ મુસાફરીના બંધ કરેલા લોભો સત્વરે ચાલુ કરવા.વ્યાજના દર ઘટતાં રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ પૂર્ણ કરી પુરૂ પેન્શન આપવું. નિવૃત્તિ કર્મચારીઓ સામે ના ખાતાકીય તપાસના કે કોર્ટ કેસનો નિકાલ શક્ય તેટલા વહેલા કરવા જેથી અટકાવેલ સેવાકીય લાભો સમયસર મળી રહે.        


પડતર માગણીઓ સાંભળવવા સરકારે બનાવી છે કમિટી    

ચૂંટણી નજીક આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન સરકારી લોકોએ પોતાની પડતર માગણી સરકાર સમક્ષ રજુ કરવા માટેનો ગોલ્ડન ટાઈમ માનતા હોય છે. ત્યારે સરકારે અનેક પડતર માગણીને સાંભળવવા 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. ત્યારે આ લોકોની પડતર માગણીઓ સ્વીકારાશે કે તેમણે પણ લોલીપોપ આપવામાં આવશે તે આવનારો સમય દેખાડશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.