Gujarat : એક તરફ BJPના ઉમેદવારોના નામને લઈ આતુરતા હતી,તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ બેઠકો પર ઉમેદવારો બદલાશે..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-21 12:14:47

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ધીમે ધીમે ચૂંટણીનો માહોલ પણ જામશે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે. એક તરફ મતદાતાઓને ઉમેદવારોના નામને લઈ ઉત્સુક્તા જોવા મળી રહી છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર કોણ તે જાણવાનો રસ મતદાતાઓને હોય છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી લીધી છે પરંતુ હવે એવી વાતો થવા લાગી છે કે બે ઉમેદવારોની ટિકીટ ભાજપ પાછી લઈ શકે છે અને એ છે બનાસકાંઠાની તેમજ વલસાડની બેઠક. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રેખાબેન ચૌધરી તેમજ ધવલ પટેલની ઉમેદવારી પાછી ભાજપ લઈ શકે છે.     


22 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે 

ગુજરાતમાં 26 લોકસભા સીટો આવેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે જાહેર કર્યા છે. પરંતુ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેને કારણે 6 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે જ્યારે ગઠબંધન અંતર્ગત બે સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અનેક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે. 


આ બેઠકો માટે ભાજપ બદલી શકે છે ઉમેદવાર!

એવી ચર્ચાઓ થઈ રહી છે કે બે બેઠકો પર ભાજપ ઉમેદવારોને બદલી શકે છે. અને એ બેઠક છે વલસાડ તેમજ બનાસકાંઠા બેઠક. બનાસકાંઠામાં ભાજપે રેખાચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસે પણ મજબૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પર બેન Vs બેનની ટક્કર જોવા મળવાની છે. તો બીજી તરફ વલસાડ બેઠક માટે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે ભાજપ જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ ઉમેદવારોના નામને બદલે છે કે આ માત્ર વાતો છે... 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.