Gujarat - એક તરફ શિક્ષકોની ભરતીની માગ તો બીજી તરફ આટલી સરકારી શાળાઓમાં છે માત્ર એક શિક્ષક.. જાણો આંકડા


  • Published By :
  • Published Date : 2024-08-03 11:22:10

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક બાળકો એવા છે જેમને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને અનેક શાળાઓને તાળા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નથી.. અરવલ્લીથી સમાચાર આવ્યા કે અનેક સરકારી શાળાને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિદ્યાર્થીઓ નથી આવતા અનેક શાળામાં એ વાત સાચી હશે પરંતુ અનેક શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષકો નથી મૂકાયા. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે. અનેક શાળાઓ એવી છે જ્યાં ઓરડા નથી.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન પણ કર્યું.. અનેક વખત રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ ગયા પરંતુ તેમની સાથે કરવામાં આવતો વ્યવહાર આપણે જોયો છે.. શાળામાં જ્યાં સુધી શિક્ષકો નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે?



આટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાનસહાયકનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. 1600 જેટલી સરકારી શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 340 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડો છે.  મહત્વનું છે કે સરકાર ભણતર પાછળ હજારો કરોડ રુપિયા વાપરે છે પરંતુ તો પણ ગુજરાતમાં ભણતરનું સ્તર શું છે તે આપણે જાણીએ છીએ.. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.