Gujarat : ભ્રષ્ટાચાર વગર એક કામ પણ ના થાય! લાંચ લેતા આટલા કર્મચારી આવ્યા પકડમાં! વિધાનસભામાં સરકારે રજૂ કર્યો આંકડો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 15:07:25

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ત્યારે વિધાનસભામાં આંકકો રજૂ કરવામાં આવ્યો છે કે લાંચ લેતા કેટલા અધિકારીઓ પકડાયા છે? આ સવાલનો જે  જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો... 


લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે એસીબી કરે છે કામ 

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક વખત એસીબી દ્વારા મૂકવામાં આવેલી જાળમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાઈ જતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે માત્ર 200-300 રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ પકડાય છે. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એક પ્રશ્ન થાય કે નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ રહી જાય છે. 


શું કહે છે સરકારી આંકડો? 

વિધાનસભામાં સરકાર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ગૃહવિભાગના  કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા પકડાયા છે. 


નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ બચી જાય છે!

તે ઉપરાંત મહેસૂલ વિભાગના 40, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, ઉર્જા વિભાગના 10 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. મહત્વનું છે કે નાના કર્મચારીઓ, અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે, 200-300 રુપિયાની લાંચ લેતા કર્મચારીને પકડી લેવામાં આવે છે પરંતુ કરોડોની લાંચ લેતા મોટા માછલા ક્યારેય નથી પકડાતા... એવી આશા રાખીએ કે મોટી માછલીઓ પણ પકડાય. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!