Gujarat Loksabha Election : BJP અને Congressના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ, યોજશે રોડ શો અને કરશે શક્તિ પ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-15 13:15:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોણ કોની સામે ચૂંટણી લડવાનું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઘણા સમય પહેલાથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે નામની જાહેરાત કરી છે. નવસારીથી નૈષધ દેસાઈની પસંદગી કરાઈ છે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ માટે હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે ભાજપ તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે નામાંકન ભરાવાના છે... ભાજપના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ - 


મનસુખ માંડવિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન થોડા દિવસો બાદ શરૂ થઈ જવાનું છે. દેશની અનેક બેઠકો માટે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે જે માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શક્શે. જો ભાજપના ઉમેદવારોના નામની વાત કરીએ તો પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 


કોંગ્રેસના આ ઉમેદવાર આજે નોંધાવશે દાવેદારી

તે ઉપરાંત ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી નોંધાવાનાછે. પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આજે નામાંકન નોંધાવાના છે. આજે ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જે.પી.મારવિયા તેમજ બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારના સમર્થકો ઉપસ્થિત હશે....        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.