Gujarat Loksabha Election : BJP અને Congressના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ, યોજશે રોડ શો અને કરશે શક્તિ પ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-15 13:15:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોણ કોની સામે ચૂંટણી લડવાનું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઘણા સમય પહેલાથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે નામની જાહેરાત કરી છે. નવસારીથી નૈષધ દેસાઈની પસંદગી કરાઈ છે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ માટે હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે ભાજપ તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે નામાંકન ભરાવાના છે... ભાજપના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ - 


મનસુખ માંડવિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન થોડા દિવસો બાદ શરૂ થઈ જવાનું છે. દેશની અનેક બેઠકો માટે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે જે માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શક્શે. જો ભાજપના ઉમેદવારોના નામની વાત કરીએ તો પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 


કોંગ્રેસના આ ઉમેદવાર આજે નોંધાવશે દાવેદારી

તે ઉપરાંત ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી નોંધાવાનાછે. પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આજે નામાંકન નોંધાવાના છે. આજે ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જે.પી.મારવિયા તેમજ બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારના સમર્થકો ઉપસ્થિત હશે....        



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.